Psalms 53

1મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.”
તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે;
ભલું કરનાર કોઈ નથી.
2સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ,
તે જોવાને ઈશ્વરે આકાશમાંથી
મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
3તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે;
ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.

4શું ખોટું કરનારને કંઈ સમજણ નથી?

તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે
પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
5જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા;
કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે;
તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.

સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે!

જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે,
ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.
6

Copyright information for GujULB